ભિક્ષુ અખંડ આનંદ ટ્રસ્ટ અમદાવાદ
સંસ્થાનો પરિચય
ટ્રસ્ટી મંડળ
ટાઇમલાઇન
-
નવેમ્બર ૧૯૪૭ : અખંડ આનંદ માસિકનું આરંભ
અખંડ આનંદ માસિકનું પ્રકાશન સને-૧૯૪૭ ના નવેમ્બર માસમાં શરૂ કરવામાં આવ્યું. શરૂઆતથી જ જનતાનો સારો આવકાર મળ્યો, શ્રેષ્ઠ વાંચન સસ્તી કિંમતે આપવાનું મુખ્ય ધ્યેય.
-
લોકપ્રિયતા અને વિસ્તરણ
અખંડ આનંદ માસિક ખુબજ લોકપ્રિય બન્યું. દરેક ગુજરાતી કુટુંબમાં વંચાતું અને વિદેશના ગુજરાતીઓ માટે પણ “સાંકળ” બન્યું.
- ધર્મ, તત્વજ્ઞાન, વાર્તાઓ, કટાક્ષના લેખો, જ્ઞાનગોષ્ઠિ વગેરે વિભાગો લોકપ્રિય.
- ગુજરાતના પ્રતિષ્ઠિત અને પ્રસિદ્ધ લેખકોની કૃતિઓ, ઉચ્ચ ધોરણ જાળવ્યું.
- સમાજસેવકો, તત્વચિંતકો અને શુભેચ્છકોનો સહયોગ મળ્યો.
-
જૂન ૧૯૯૦ - ફેબ્રુઆરી ૧૯૯૧
અમુક અસાધારણ સંજોગોમાં અખંડ આનંદ માસિકનું પ્રકાશન ૮ મહિના માટે બંધ કરવું પડ્યું.
-
માર્ચ ૧૯૯૧ : ટ્રસ્ટ રચના અને પુનઃપ્રકાશન
શ્રી એચ.એમ. પટેલની અધ્યક્ષતા હેઠળ “ભિક્ષુ અખંડ આનંદ ટ્રસ્ટ” ની રચના, અને ટ્રસ્ટ દ્વારા અખંડ આનંદ માસિકનું પુનઃપ્રકાશન શરૂ.
-
૧૯૯૩ અને પછી
શ્રી એચ.એમ. પટેલના અવસાન બાદ શ્રી આનંદભાઈ અમીનની અધ્યક્ષતા હેઠળ માસિકનું નિયમિત પ્રકાશન ચાલુ.
-
2020 → અત્યારે નવું ટ્રસ્ટી મંડળ
હાલમાં શ્રી અમિતભાઈ શાહ, શ્રી પરેશભાઈ એ. અમીન, શ્રી પ્રશાંતભાઈ એ. અમીન, શ્રી હર્ષદભાઈ જે. શાહ અને શ્રી પ્રવીણભાઈ લહેરી ટ્રસ્ટી તરીકે સેવાઓ આપે છે.
-
વર્તમાન
અખંડ આનંદ ટ્રસ્ટ દ્વારા માસિકનું સફળ અને સતત સંચાલન, ૩૧માં વર્ષમાં પ્રવેશ. ગુણવત્તા જાળવી ને લોકપ્રિય માસિક.
"સાહિત્ય એ સમાજનું અર્ધંગ છે અને ગુજરાતી સાહિત્ય આપણી સંસ્કૃતિનું ગૌરવ છે"— ભિક્ષુ અખંડ આનંદ ટ્રસ્ટ અમદાવાદ