
સસ્તું સાહિત્ય મુદ્રણાલય ટ્રસ્ટ — અમદાવાદ
2022 - હાલશ્રી અમિતભાઈ શાહ સસ્તું સાહિત્ય મુદ્રણાલય ટ્રસ્ટના પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે. તેઓ ગુજરાતી ભાષાના લોકપ્રિય પુસ્તકોના પુનઃપ્રકાશન, વિમોચન અને સાહિત્યના પ્રચાર-પ્રસાર માટે અગત્યનું કાર્ય કરી રહ્યા છે. તેમના નેતૃત્વમાં ટ્રસ્ટ દ્વારા અનેક મહત્વપૂર્ણ પુસ્તકોનું પુનઃપ્રકાશન થયું છે, જે વાચકો અને સમાજ માટે હિતકારક સાબિત થયું છે.
"શાળાઓની કેટલી સંખ્યા છે એ દેશનું ભવિષ્ય નક્કી કરતું નથી, પરંતુ પુસ્તકાલયોની કેટલી સંખ્યા છે એ જ દેશનું ભવિષ્ય નક્કી કરતું હોય છે."
"વાંચનની આદત બાળકને નાનપણથી જ બાળસાહિત્યથી કરાવવી જોઈએ. એ આદત જ એને વ્યક્તિત્વ, મન, જીવ અને આત્માની ઉન્નતિ તરફ લઈ જાય છે. વાંચનની આદત હશે તો બાળક ગમે તેવી મુશ્કેલીમાં ટટ્ટાર રહી બહાર આવશે, નહીંતર એક જ વાવાઝોડામાં ભૂકો થઈ જશે."
ટાઈમલાઈન
મુખ્ય ઘટનાઓ અને પ્રવૃત્તિઓ